એક સમયે જે હતી પ્રબળ, આજે વિસરાઈ રહી છે એ ભવ્યતા,
વિસરાઈ રહી સંસ્કૃતિ આપણી વ્યાપી રહી છે નરી શૂન્યતા..
એ ગ્રામ્યજીવન, એ માટીમાં રમવાની મજા જાણે બાળપણની એ ધન્યતા,
વિસરાયું જીવન જોડાણ હવે પાછી આવે એવી નથી રહી કોઈ શક્યતા..
સમી સાંજે વાગે ઝાલર મંદિરમાં ને વાતાવરણમાં પ્રસરાય દિવ્યતા,
નિર્દોષ અને નિશ્વાર્થભર્યા મનમાં જાણે ઓતપ્રોત થાય મુગ્ધતા..
સૂની પડી છે હવે એ પનઘટની કેડીઓ, જ્યાં હતી હવાઓમાં રમ્યતા,
જાહોજલાલી નાશ થઇ રહી, શેષ માત્ર દેખાડાની ઔપચારિકતા..
-