ક્રૃષ્ણ એકલાં જ હતાં ને, તો પછી એકલા થઈ ગયા પહેલાં માણસને આટલો બધો ડર કેમ? કદાચ એને લોકો ગમતાં હશે, પરિવાર ગમતો હશે,સમાજ ગમતો હશે, એટલે કોઈ પણ વાત સ્વીકારવી જ એના માટે યોગ્ય રહેશે, એવું એ માને છે. પછી ભલે એજ લોકો દ્વારા રોજે કોઈ ને કોઈ વાતે એનું શોષણ થતું રહે, પણ પ્રતિશોધ એના મૂળમાં નથી, એ માને છે કે મૌનથી માણસને જીતી શકાય...