આજ ચકલી દિવસ છે એ ચકલી ને ખબર પણ નથી!?
એક પ્રશ્ન....
આજ ચકલી ને ચણ કોને નાખ્યું,
કુંડુ સાફ કરી ચોખ્ખું પાણી કોણે ભર્યું?
વૃક્ષો તો દિવસે ને દિવસે કપાતા જાય છે,લાખો ચકલાઓ ઘર વિહોણા થાય છે તો ચકલી ને રહેવા માટે પૂંઠાનું ઘર આજે કોણે બનાવ્યું જેથી એકાદ ચકલી નો પરિવાર તેમાં સમાઈ શકે?
જો આ બધા માં જવાબ "ના" હોય તો સમજી લેવું કે આપડે બધા પ્રદર્શન ની દુનિયામાં જીવીએ છીએ.અસલ માં ચકલા ની મદદ કરવાને બદલે માત્ર ફોન માં,સોસીયલ મીડિયામાં 'ચકલી દિવસ' ને લગતો દેખાડો કરીએ છીએ.વાસ્તવિક જીવન માં શ્રમ કરવામાં આપણે શૂન્ય છીએ.
કાંઈ ન કરીએ તો એકાદ બે વૃક્ષો તો જરૂર વાવી શકીએ જેથી લુપ્ત થવાને આરે અમુક ચકલા ને બચાવી શકાય,આપણા આંગણે એમને આશરો તો આપી શકીએ ને?
-