એક દાદા હતા એની સમસ્યા એ હતી કે મેં આખી જિંદગી મારા પરિવાર માટે પૈસા કમાવવામાં ખર્સી નાખી કે તેવો સુખ શાંતિ થી જીવી શકે , અત્યારે મારો 60,000 પગાર છે પણ મારા પરિવાર ના લોકો મારી કદર પણ નથી કરતા....
આ સમસ્યા પરથી મને એવું લાગે છે કે તમે ફકત તમારા સંતાનોને પૈસાનું મહત્વ શીખવ્યું. પ્રેમ, હૂફ, લાગણી, સ્નેહ, આદર, સન્માન, લોકોની કદર આવા ગુણોનું મહત્વ શીખવતા જ ભૂલી ગયા એટલે એ પણ તમારા જ રસ્તે ચાલે છે જે તમે અપનાવ્યો ખાલી પૈસા કમાવવાનો.....
લોકો પૈસા પાછળ પડ્યા છે ખાલી પૈસાથી સુખ અને શાંતિ નથી ખરીદી શકાતા તમારી પાસે કરોડો રૂપિયા છે. સોનાનો બેડ છે, પણ ઊંઘ ખરીદી શકશો, સોનાની થાળી છે, ભૂખ ખરીદી શકાશે નહી ને......
પૈસા તમારી જરૂરિયાત છે, સુખ અને શાંતિ માટે ખાલી પૈસા જ જરૂરી નથી .......!!!!!
-